..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Tuesday, December 04, 2007

..*.. Happy Birthday to My Lalan Chirag ..*..

જ્યારે દિલનાં દ્વારે ફરી કોઇ દસ્તક સંભળાઇ અને મન ઝરુખે ઉભા અમને એ કોમળ પગલાનો આભાસ થયો ત્યારે હૈયામાં જે સ્પંદનોનાં તાર રણકી ઉઠ્યાં એ કંઇક આવા હતા..










Tuesday, November 27, 2007

..*.. sangeet ..*.. (3)

ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી....." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર .. From Mr. Kapil Dave.

સૂરાવટ : એ સૂર ઉપરથી બીજા સૂર ઉપર એકદમ સીધા જઈ અટકી ન જતાં રાગને અનુકૂળ બીજા સૂરો ઉપર ફરીને જવૂં તેને સૂરાવટ કહે છે. ઉદાહરણ તરીકે વૈષ્ણવજન ' સા ગ, ગ, ગ, ગ, ગ,' ને સાદા સીધા ગાનમાં ' સા, રે, પ, મ, ગ, ગ,' સૂરો લગાડતાં સૂરાવટથી ગાયુ કહેવાય છે.

સ્વરનિયોજન : અમુક પ્રકારે અને અમુક અંતરે સૂરોની ગોઠવણીથી ધારી અસર ઉત્પન્ન કરવામા આવે છે. તેને સ્વરનિયોજન કહે છે.

મીંડ : એક સૂરને તાણીને તોડયા વગર બીજે સૂરે પહોંચવુ તેને મીંડ કહે છે. મીંડના સૂરો ખેંચાય છે. મીંડમાં એક સૂર તોડયા વગર બીજા સૂર પર જવાનુ હોવાથી તે હારમોનિયમમાં શક્ય નથી. મીડ સંગીતનું અગત્યનું અંગ છે.

પૂર્વાંગ : ઉતરાંગ : સપ્તકનાં બે ભાગ છે. પેલા ભાગ 'સા રે ગ મ' ને પૂર્વાંગ અને બીજા ભાગ 'પ ધ નિ સા' ને ઉતરાંગ કહે છે.

સંવાદ-વિસંવાદ : બે સ્વરોનાં સુમધુર મિલાપને સંવાદ કહે છે. તેનાં ત્રણ પ્રકાર છે. બહુ નજીક અને બહુ દૂર આવેલાં સ્વરો સાથે વગાડવાથી વિસંવાદ ઉત્પન્ન થાય છે.

આરોહ-અવરોહ : સ્વરોનાં ઉપર જવાના ક્રમને આરોહ અને નીચે ઉતરવાનાં ક્રમને અવરોહ કહે છે.

વર્ણ : ગાવાની પ્રત્યક્ષ ક્રિયાને વર્ણ કહે છે. તેનાં ચાર પ્રકાર છે.

અલંકાર : સ્વરોની વિશિષ્ટ પ્રકારની નિયમિત રચનાને અલંકાર કહે છે.

ખરજ-લરજ : મંદ્ સપ્તકનાં સ્વરોને ખરજ અને અનુમંદ્રનાં સ્વરોને લરજ કહે છે.

ગ્રામ : સ્વરનાં સમૂહના વિશ્રામસ્થાનને ગ્રામ કહે છે.

મૂર્ચ્છના : ગાનમાં સ્વરને કંપાવવામાં આવે તેને મૂર્ચ્છના કહે છે.

લાગ : ચાલતા ગાનમાં એકદમ સ્વર છોડીને બીજા સપ્તકનાં તે જ સ્વર ઉપર રોકાઈ પાછા સ્વર ઉપર આવે તેમાં વચ્ચે છોડી દીધેલાં સ્વરને 'લાગ' કહે છે.

ડાટ : લાગમાં ઊંચા સ્વરને પકડીને બીજા સ્વરને સ્પર્શ કરવામા આવે તેને ડાટ કહે છે.

ક્રમશ:

Friday, November 23, 2007

..*.. Golden Jubilee ..*..


અનોખાં બંધને બંધાઇ આ લગ્નગાંઠ, આવી આવી આ પચાસમી વર્ષગાંઠ..!!


આજે અમારાં પિતાશ્રી ચિમનલાલ જમનાદાસ ઘીયા તથા માતુશ્રી નિર્મળાબહેન ચિમનલાલ ઘીયાને એમનાં દાંપત્યજીવનની સુવર્ણજયંતી પર અંત:કરણ પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન ..!

અમારાં પૂજ્ય દાદા સ્વ.શ્રી જમનાદાસ હરજીવનદાસ ઘીયા તથા પૂજ્ય દાદી સ્વ. જયાકુંવર જમનાદાસ ઘીયાએ એમનાં જીવન રૂપી અમૃતકુંભમાંથી, સજ્જ્નતાનાં બીજ રોપી અને સંસ્કારોનું અમી સીંચીને એમનાં સંતાનોને ઘીયા કુટુંબનાં વટવૃક્ષ બનાવ્યાં. જયેષ્ઠ પુત્ર સ્વ. શ્રી મગનભાઇ ઘીયા, દ્વિતિય પુત્ર સ્વ.શ્રી ઇન્દુભાઇ ઘીયા, તૃતિય પુત્ર શ્રી ચિમનભાઇ ઘીયા તથા ચતુર્થ પુત્ર શ્રી વિનોદભાઇ ઘીયા એ વેપાર વાણીજ્ય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી..તથા સૌરાષ્ટૃનાં દાનવીર ભામાશા કહેવાયા..! ચારે પુત્રો એ આધ્યાત્મિક સ્તરે પણ ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું...એમની જીવનયાત્રાનાં અનેક તડકા-છાયાં માં સાથ અને સહકાર આપ્યો એમની જીવનસંગિનીઓ એ....! .. સાત સાત ફેરે સાત ભવના કોલ, કોઈ કાળજાનો કટકો, કોઈ કાળજાની કોર, બંધન અનોખું ...!

આમ જોઇએ તો સંતાન અને માતા-પિતાનું બંધન પણ અતૂટ જ હોય છે ને..?...
અમને બધાને જન્મ આપી, દીકરાઓને કૂળદિપક બનાવી પ્રકાશ ફેલાવ્યો અને અમારાં જીવનમાં પણ એ જ સંસ્કાર નું અમૃત રેડી દીકરીઓ રૂપી વેલ ને જતન પૂર્વક ઉછેરી ને સાસરે વળાવી..!..આજ સુધી અમે દીકરીઓએ ઘીયા કુટુંબમાંથી જે મેળવ્યું છે એ અમારા જીવનની મહામુલી મુડી છે..એ છે સંસ્કાર અને માનવતા....! જે જીવનભાથું સાથે લઇ ને દીકરીઓ સાસરે ગઇ..!

પૂજ્ય મમ્મીએ હંમેશા એમનાં નામ મુજબ જ નિર્મળ સ્નેહની સરવાણી વહાવી છે તો પૂજ્ય પપ્પાએ હંમેશા વહાલનો વરસાદ વરસાવ્યો છે અમારાં પર...!!....અને એ બધાં જ લાગણીભીનાં સ્પંદનોને અમે પળ પળ મહેસુસ કરી ને માણ્યા છે..!

એમણે બતાવેલી રાહ પર ચાલવાની કોશીશ કરીએ પણ એમને આંબી નહીં શકીએ...એવાં અમારાં પૂજ્ય પપ્પા તથા પૂજ્ય મમ્મીને એમનાં સંતાનો નાં લાખ લાખ પ્રણામ ..! આજે શ્રીજી પાસે એજ પ્રાર્થના છે કે જ્યારે પણ માનવદેહ મળે આ જ માતા-પિતા મળે..અને ઘીયા કુટુંબમાં જ જન્મ મળે દીકરાંનો..!.. કારણ કે દીકરી બનીને એમનાંથી દૂર રહેવું પડ્યું...હવે દીકરો બનીને ઋણ ચુકવવું છે..!..છે ને આ અનોખું બંધન ..?..એમની મમતા અને વાત્સલ્ય નાં બંધન થી દૂર નથી થવું..!


આજે એમનાં સંતાનો તરફ થી આ ગીત એમને અર્પણ..!!


ये तो सच है के भगवान है है मगर फिर भेी अन्जान है..!
धरतेी पे रुप मा बाप का उस विधाता की पहेचान है..!

जन्म दाता है जो नाम जिनसे मिला,थाम कर जिनकी ऊंगली है बचपन चला,
कांधे पर बैठ के जिनके देखा जंहा,प्यार जिनसे मिला क्या बुरा क्या भला..?
कितने उपकार है क्या कहे..? ये बताना ना आसान है..!
धरती पे रुप मा बाप का उस विधाता की पहेचान है..!

जन्म देती है जो मां जिसे जग कहे, अपनी संतान मे प्राण जिसके रहे..!
लोरीयां होठो पर सपने बुनती नझर, नींद जो वार दे हसके हर दुःख सहे..!
ममताके रुपमे है प्रभु, आपसे पाया वरदान है..!
धरती पे रुप मा बाप का उस विधाता की पहेचान है..!

आपके ख्वाब हम आज हो कर जवां, उस परम शक्ति से करते है प्रार्थना..!
इनकी छाया रहे रहेती दुनिया तलक, एक पल रहे शके हम ना जिनके बिना..!
आप दोनो सलामत रहे सब के दिल मे ये अरमान है ..!!
धरती पे रुप मा बाप का उस विधाता की पहेचान है..!

ये तो सच है के भगवान है है मगर फिर भेी अन्जान है..!
धरतेी पे रुप मा बाप का उस विधाता की पहेचान है..!






Saturday, November 10, 2007

..*..પ્રથમ વર્ષગાંઠ ..*..

..આજ ની સુપ્રભાતે " શ્રીજી" અને " સૂર~સરગમ " ને એક વર્ષ પૂરું થયું ....અને આજે વિશેષ આનંદ દાયક શુભ સમાચાર એ છે કે શ્રીજી કૃપાથી અને વડીલોનાં આશીર્વાદથી નવા બ્લોગ " અનોખુંબંધન" ની શુભ શરૂઆત થઇ રહી છે...!! આ એક વરસ દરમ્યાન આ બન્ને બ્લોગ પર અસંખ્ય વાચક મિત્રોએ મુલાકાત લીધી અને અમુલ્ય પ્રતિભાવો આપ્યા..!...આશા છે "અનોખુંબંધન" ને પણ આપ સહુ એવા જ સ્નેહપૂર્વક વધાવી લેશો..!...


...........આ સમય દરમ્યાન પ્રેમાળ કુટુંબીજનો અને સ્નેહાળ મિત્રો સહેલીઓ ની શુભેચ્છાઓ તો મારી સાથે હતી જ ..પણ સાથે સાથે ઘણા બધા મિત્રોની મિત્રતા મળી - સાથ સહકાર મળ્યો.. જે પામી ને ખરેખર એમ થાય છે કે બ્લૉગજગત ની આ દુનિયા માં આટલાં સાલસ અને સ્નેહાળ મિત્રો ની મૈત્રી તો કોઇ નસીબદાર ને જ મળે..જે એક અમુલ્ય ભેટ છે મારા માટે..!! અમુક મિત્રો-સહેલીઓ કે જેમાં નાં બહુ જ અલ્પ સંખ્યા માં કહી શકાય એવા મિત્રો ની એકાદવાર રૂબરૂ મુલાકાત થઇ છે એમનાં વિષે તો જેટલું કહું એટલું ઓછુ જ છે.... શ્રી અમિતભાઇ-પિસાવડિયા, નિલેષભાઇ વ્યાસ, નીરજભાઇ શાહ, નીરજભાઇ-સોનાવાલા તથા ધ્વની જોશી.. ખરેખર એમનો સાથ સહકાર એ મારાં અહોભાગ્ય જ કહી શકાય..જ્યારે બીજી તરફ જે મિત્રો સહેલીઓ ને હું કદી મળી જ નથી છતાં પણ જેમનો સ્નેહ મળ્યો છે એમા નાં વડીલો જેમ કે પૂજ્ય રાજેન્દ્ર અંકલ (શ્રી રાજેન્દ્ર ત્રિવેદી)એ મને દીકરી તરીકે માન આપ્યું અને "શ્રીજી" તથા "સૂર~સરગમ"ને એમનાં "તુલસીદલ"માં સ્થાન આપ્યું તો ..પૂજ્ય સુરેશદાદા,પૂજય જુગલકાકા,પૂજ્ય હરીશભાઇ,પૂજ્ય નીલાદીદી ,પૂજ્ય નિલમદીદી, શ્રી મૃગેશભાઇ,શ્રી જયભાઇ ભટ્ટ જેવાં દરેક વડીલો તથા મિત્રો-સહેલીઓ પાસે થી હંમેશા સ્નેહ સહિત પ્રેરણા મળતી રહી...!


............સ્નેહી મિત્રો શ્રી વિશ્વદીપભાઇ, અમિતભાઇ, ગુણવંતભાઇ, વિવેક્ભાઇ, ધવલભાઇ, વિશાલભાઇ, બિમલભાઇ, વિકાસભાઇ, કેતનભાઇ, હિરેનભાઇ, રાજીવભાઇ, અશોકભાઇ, અશીતભાઇ, શૈલ્યભાઇ, કુણાલભાઇ, પ્રતિકભાઇ, કાંક્ષિતભાઇ, કુમારભાઇ, રાજેશભાઇ, મંથનભાઇ, શિવાંશભાઇ, દિપકભાઇ, પંકજભાઇ, કપિલભાઇ, પંચમભાઇ, મહેશભાઇ, વિરેન્દ્રભાઇ, દિગિશાબહેન, ઉર્મીસાગર, દેવિકાબહેન, પ્રવીણાબહેન, પિંકીબહેન, ધારીણીબહેન, નીતાબહેન, પ્રીતીબહેન, જયશ્રી, દિપ્તી(શમા), ઉન્નતી.... ઇત્યાદિ બધાં જ મિત્રો-સહેલીઓ પાસે થી હંમેશા પ્રોત્સાહન અને સહકાર મળ્યાં છે ...કોઇએ દીકરી, તો કોઇએ નાનીબહેન બનાવી..તો વળી કોઇએ દીદી કહી...!! કેવા કેવા ઋણાનુબંધ બંધાઇ ગયા બધા જોડે..!!...ક્યારેક આ બધા સંબંધો વિષે વિચાર આવે છે તો થાય છે કે કેવા નિરપેક્ષ છે આ બધા બંધનો...!!....કદાચ આને જ તો કહેવાય અનોખુંબંધન...!!!...

......અહીં બધા જ મિત્રોની નામાવલી મુક્વા માટે આ જગ્યા ખૂબ જ નાની પડે .એથી તમામ મિત્રો નો હું ખરા અંત:કરણ પુર્વક આભાર માનું છું..જેમણે કાયમ શ્રીજી અને સૂર~સરગમ પર પરોક્ષ રીતે સહકાર આપ્યો છે..!.. અને આગળ પણ આવો જ સ્નેહ ભર્યો સાથ મળતો રહે ..એવી અભ્યર્થના...!!



આજ નાં આ શુભ દિને પ્રસ્તુત છે મારી પ્રિય પ્રાર્થનાઓ...!







..*.. Upahaar ..*..

આજે શ્રીજી અને સૂર~સરગમ ની પ્રથમ વર્ષગાંઠ પર સ્નેહીમિત્ર શ્રી નિરજભાઇ શાહે (રણકાર) એક ગીત ની ભેંટ મોકલી છે... આ ઉપહાર માટે એમનો અંત:કરણ પુર્વક ખુબ ખુબ આભાર..!

શ્રીજી કૃપાથી સૂર~સરગમ તણી આ મહેફીલ માં સંગીતનો રણકાર હંમેશ ગુંજતો રહે અને મૈત્રી કેરું અનોખુંબંધન અમર રહે..એવી અભ્યર્થના..!








..મહોબ્બતથી – તુષાર શુક્લ / સ્વર: સંજય ઓઝા, દર્શના ગાંધી


મહોબ્બતથી મહેક્યાં આ ગુલશન,

આ ગુલશન સલામત રહે..

સૂર શબ્દો તણી આજની આ,

આ મહેફિલ સલામત રહે... મહોબ્બતથી...

રહે ચાંદ ઝીલમીલ સીતારા રહે,


લહેર સંગ એના કિનારા રહે,

તમારાં રહે ને અમારાં રહે,

ગીત હોઠોં પર પ્યારા રહે... મહોબ્બતથી...

આ ગઝલોનું યૌવન,આ ગીતોનું ઉપવન,

સદાયે સભર કરતું રેહવાનું જીવન,

આ સૂરતાલ સરગમ રહે ગુંજી હરદમ,

આ રોશન શમા જલતી રેહવાની મધ્યમ,

તમારી પાસે આ ઘાયલ જીગર ને,

જીગરની જમાનત રહે... મહોબ્બતથી...


હો.. સમય ફૂલ પર સહી કરી દઈ સમયસર,

વહી જાશું જાણે કે ઝાકળની ઝરમર,

અમે તો જશું ને નવા આવશે પણ ,

ગગન છે તો ટહુકાઓ રહેશે ઘણા પણ,

યાદ જગને અમારી સૂરીલી સૂરીલી,

સૂરીલી બગાવત રહે... મહોબ્બતથી...



Thursday, October 25, 2007

..*.. Sharad Punam ..*..









શરદ પુનમ ની ચાંદની રાત માં, હર એક હૈયા પર જાણે કે ચન્દ્રમા ની શ્વેત આભા પથરાઇ ગઇ હોય અને એમાથી પ્રણય રૂપી શીતળતા છલકાઇ રહી હોય એમ ભાસે છે આ બન્ને ગીતો માં..!

આજ નો ચાંદલિયો ..એ ગીત માં તો ખરેખર લતાજી એ પ્રાણ પૂરી ને સ્વર આપ્યો છે..જેમાની આ પંક્તિ ખુબ જ સરસ છે....!..

" તારા રે નામ નો છેડયો એકતારો, હું તારી મીરાં તું ગિરિધર મારો....!

...આજ મારે પીવો છે પ્રીતી નો પ્યાલો..."

Saturday, October 20, 2007

..*.. Jay Khodiyaar Ma ..*..




..*.. Tari Banki re ..*..




મિત્રો ની ફરમાઇશ થી અત્રે પ્રસ્તુત છે આ ગરબો...!

Friday, October 19, 2007

..*.. Stuti - Aarti..*..







આ સ્તુતિ તથા આરતી મોક્લવા બદલ મિત્રો શ્રી અશોકભાઇ પટેલ (મોરબી) તથા શ્રી કેતનભાઇ શાહ (વડોદરા) નો ખુબ ખુબ આભાર.

..*.. E Maro Sahyabo ..*..

..*.. Maniyaaro te halu halu..*..



Thursday, October 18, 2007

..*..Dhany Ma Tu Jogani ..*..

..*..Aapna Malak ma..*..




આ ગરબો જોઇ ને અમારા જેવા દરેક પરદેશી પંખીડાઓ ને આપણો મલક યાદ ના આવે તો જ નવાઇ..!

આપણો મલક ... આપણું ભારત ... આપણું ગુજરાત..!


Friday, October 12, 2007

..*.. Jay Ambe Ma ..*..





આજ થી શ્રી માતાજી નાં નવલા નોરતાં શરૂ થાય છે ...ચલો આપણે સહુ શ્રી અંબા માં ની આરતી કરી એમનું સ્વાગત કરીએ.

..*.. Jay Santoshi Ma ..*..





..આજ નાં નવરાત્રી પ્રારંભે જ શ્રી સંતોષી માં નો પવિત્ર દિવસ શુક્રવાર છે..માં એ સંતોષી માતા નું રૂપ ધરી ભક્તો નાં દુ:ખ હર્યાં... ' શ્રી સંતોષી માતા ની જય '

.*..Ame Maiyaara re..*..



માતાજી નાં ગરબા ની સાથે સાથે ગુજરાત નાં લોકગીતો પર આધારીત ગરબાઓ અને એ ગરબા નાં સૂર નાં સથવારે દાંડીયા ને પણ કેવી રીતે ભુલી શકાય..?..


Monday, October 08, 2007

..*..Happy Birthday To My " Lalan " Tejas & Niece Miloni..*..

..Many Many Happy Returns Of The Day..

જ્યારે અમારા લાલન નાં આગમન ની રાહ જોવાઇ રહી હતી, જેનાં પ્રથમ કોમળ સ્પર્શ નો અહેસાસ અમારા હ્રદય ને તો થઇ જ ચુક્યો હતો.. ત્યારે અમારાં હ્રદય માં જે સંવેદનાઓ ઉદભવી રહી હતી એ કંઇક આવી હતી..









Tuesday, October 02, 2007

..*.. Instrumental ..*..



આજે પુજ્ય ગાંધીજી ની જન્મ જયંતિ પર એમની પ્રિય ધુન સાંભળીએ...

..*.. Sunle Baapu Ye Paigaam ..*..

આ ગીત ને બચપણ થી સાંભળ્યું છે...આજે પુજ્ય બાપુ ની જન્મ જયંતિ એ આ ગીત ખુબ જ યાદ આવે છે..એમણે આપણાં દેશ માટે જે બલિદાન આપ્યું છે એ અવિસ્મરણીય છે..પણ એમની તપસ્યા થી, એમનાં સ્વપનો થી વિપરીત પરિસ્થિતી નો તાદ્ર્શ ચિતાર આ ગીત નાં શબ્દો માં વર્ણવ્યો છે..!..1969માં બનેલી ફિલ્મ 'બાલક'ના આ ગીત ને સુંદર સ્વર મળ્યો છે સુમનકલ્યાણપૂર નો અને સંગીત આપ્યું છે શ્રી દત્તારામે..


सुन ले बापु ये पैगाम, मेरी चिठ्ठी तेरे नाम



  • चिठ्ठी मैं सबसे पेहले लिखता तुजको राम राम

लिखता तुजको राम राम सुन ले बापु ये पैगाम...


काला धन काला व्यापार, रिश्वत के है गरम बाज़ार, सत्य अहिंसा करे पुकार,


तुट गये चरखे के तार, तेरे अनशन सत्याग्रह के बदल गये असली बर्ताव


इक् नई विद्या उपजी जीसको केहते है घेराव, तेरी कठीन तपस्या का ये कैसा नीकला अंजाम...




  • प्रांत प्रांत से टकराता है, भाषा पर भाषा की लात, मैं पंजाबी तु बंगाली, कौन करे भारत की बात,

  • तेरी
    हिन्दी की पांव में अंग्रेजी ने डाली डोर, तेरी लकडी ठगो ने ठग ली,


    तेरी बकरी ले गये चोर, सबरमती सिसकती तेरी, तडप रहा है सेवाग्राम...


    रामराज की तेरी कल्पना उडी हवा मैं बनके कपूर, बच्चों ने पठ-लिखना छोडा,


    तोड फोड मैं हे मगरूर , नेता हो गये दल -बदलू , देश की पघडी रहे उछाल


    तेरे पूत बिगड गये बापु, दारु बन्धी हुइ हालाल , तेरे राजघाट पे फिर भी फुल चढाते सुभह शाम...


    सुन ले बापु ये पैगाम, मेरी चिठ्ठी तेरे नाम चिठ्ठी मैं सबसे पेहले लिखता तुजको राम राम


    लिखता तुजको राम राम सुन ले बापु ये पैगाम...




    • આ ગીત ની રચના મોકલવા બદલ મિત્ર શ્રી નિરજભાઇ શાહ ( લંડન ) નો ખુબ ખુબ આભાર..




    આ ગીત ની mp3 file મોકલવા બદલ મિત્ર શ્રી અશોકભાઇ પટેલ ( મોરબી ) નો ખુબ ખુબ આભાર....

    ..*.. Sangeet ..*.. ( 2 )

    ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી....." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર .. From Mr. Kapil Dave.
    ..........................................................................................................................................................................
    મધુરનાદ : સંગીતોપયોગી કોઈપણ ઉત્પન્ન થતો ધ્વનિની કંપન સંખ્યા નિયમિત હોય છે. ત્યારે તેને મધુરનાદ કહેવામાં આવે છે.


    આંદોલન અને તેની સંખ્યા : જ્યારે કંપન કરતી કોઈપણ વસ્તુ તેની મૂળ સ્થિતિથી ઊંચે અને ત્યારબાદ તેટલી જ નીચે ગયા બાદ જ્યારે મૂળ સ્થિતિ પર પરત આવે છે તેટલાં કંપનને એક આંદોલન કહેવામાં આવે છે. આંદોલન બંધ થતાં ધ્વનિ બંધ થાય છે. એક સેકન્ડમાં તાર જેટલાં આંદોલન છેડે છે, તેને તે ધ્વનિને આંદોલન સંખ્યા કહે છે


    નાદની ઊંચાઈ : નાદનાં ઊંચા કે નીચાપણાનો આધાર ધ્વનિ ઉત્પાદક આંદોલનની સંખ્યા પર રહે છે. વધુ આંદોલનની સંખ્યાનો ધ્વનિ ઊંચો અને ઓછી આંદોલનની સંખ્યાનો ધ્વનિ નીચો કહેવાય છે.


    નાદની ઘનતા : ધ્વનિ ઉત્પાદકતા જેમ વધુ તેમ ધ્વનિની ઘનતા વિશેષ. ધ્વનિ ઉત્પાદકતા પર વિશેષ દબાણ કરવાથી તેમા આંદોલનની પહોળાઈ વધે છે, તેને કારણે મોટો ધ્વનિ ઉત્પન્ન થાય છે.

    સ્વર-સૂર : અવાજનાં સ્થૂલ સ્વરૂપને સ્વર અથવા સૂર કહે છે. સાધારણ ગાયન-વાદનમાં સ્થૂલ સ્વર પ્રયોજાય છે. અને ખાસ રાગ-રાગીણીઓનાં સાચાં સ્વરૂપો બતાવવામાં શ્રુતિઓનો ઉપયોગ થાય છે. ૨૨ શ્રુતિઓમાંથી અમુક શ્રુતિનાં નકકી કરેલ અંતરે શુધ્ધ તેમજ વિકૃત સ્વરો મનાય છે. મુખ્ય સાત સ્વરોમા અનુક્રમે ષડજ, રિષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ છે. ગાતી વખતે તે સ્વરોને ટુંકાવીને ક્રમાનુસાર ' સા રે ગ મ પ ધ નિ ' આ રીતે ઉચ્ચારાય છે. સ્વરનાં શુધ્ધ અને વિકૃત એમ બે પ્રકાર છે.

    સપ્તક : સા થી નિ સુધીમાં આવતા સ્વરોનાં સમુહને સપ્તક કહે છે. આ સ્વરોમાં તાર, સપ્તકનો સા ઉમેરવાથી એક સપ્તક પૂરું થાય છે. આમાં મુખ્ય સપ્તક મન્દ્દ મધ્ય અને તાર એમ ત્રણ છે. આ ત્રણેય સપ્તકો એક બીજાથી બમણી ઊંચાઈએ આવેલ છે. સપ્તક શરીરનાં સ્થાન સાથે સંબંધિત છે.


    શ્રુતિ : ' શ્રયતે ઈતિ શ્રુતિ ' એક સપ્તકમાં એક બીજાથી ઊંચા એવાં અસંખ્ય નાદ હોય છે, પરંતુ એક બીજાથી સ્પષ્ટ રીતે સાંભળી તેમજ ગાઈ શકાય તેવાં ૨૨ નાદ હોય છે. આ ૨૨ નાદને શ્રુતિ કહે છે. શ્રુતિ એ અવાજનું સૂક્ષ્મ સ્વરૂપ છે.
    ક્રમશ:

    Saturday, September 29, 2007

    ..*..Tulsidal..*..


    માનનીય શ્રી રાજેન્દ્રજીએ એમનાં બ્લોગ તુલસીદલ પર સૂર-સરગમ ને સ્થાન આપ્યું એ બદલ તેઓશ્રી નો તથા એ સર્વે મિત્રો નો ખરા અંત:કરણ પુર્વક આભાર માનુ છું કે જેમણે એમનાં અમુલ્ય પ્રતિભાવો તુલસીદલ તથા સૂર-સરગમ પર આપ્યાં...આપ સહુ નું પ્રોત્સાહન જ મને પ્રેરણાં આપે છે..આવી જ રીતે આપનો સાથ અને સહકાર મળતો રહે એવી અભ્યર્થના..!..thanks again...!

    Friday, September 14, 2007

    .. *.. Ganesh Chaturthi ..*..






    Ganesh Festival is an occasion or a day on which Lord Ganesha, the son of Shiva and Parvati, is believed to bestow his presence on earth for all his devotees. It is also known as Vinayaka Chaturthi in Sanskrit, Kannada, Tamil and Telugu. It is the birthday of Lord Ganesha. The festival is observed in the Hindu calendar month of Bhaadrapada, starting on the shukla chaturthi (fourth day of the waxing moon period). This typically comes sometime between August 20 and September 15. The festival lasts for 10 days, ending on Ananta Chaturdashi.
    Ganesh, the elephant-headed son of Shiva and Parvati, is widely worshipped as the supreme god of wisdom, prosperity and good fortune.

    ..*.. Ode to Lord Bahmha ..*..



    Goddess Shree Saraswati sings an ode to Lord Brahma

    આ મારી એક્દમ પ્રિય મુવી ક્લિપ છે..! શ્રી સરસ્વતી દેવી નાં શ્રી મુખ માં થી એક પછી એક પ્રગટ થઇ રહેલ સા..રે..ગા..મા..પા..ધા..ની...એ સાત સૂરો રૂપી અપ્સરાઓ નું સપ્તક જ્યારે શ્રી બ્રહ્માજી ને શત-શત પ્રાણમ કરી વંદના કરે છે એ દ્રશ્ય જ અદભુત છે..!..

    Thursday, September 13, 2007

    ..*.. Nindiya se jaagi ..*..





    કોકીલ કંઠી લતાજી નાં મધુર સ્વર માં આ રચના તથા મંત્ર મુગ્ધ કરી દેનાર સંગીત સાથે રચાયેલી આ સરગમ વિષે કંઇ પણ લખવા કરતાં એને મુગ્ધ થઇ ને સાંભળ્યા જ કરવા નું વધારે ગમે છે..!

    ..*.. Sangeet ..*.. (1)

    ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ .." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર ..

    ( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માં થી આ માહિતી મોક્લવા બદલ મિત્ર શ્રી કપિલ દવે નો ખુબ ખુબ આભાર..

    *

    અત્રે પ્રસ્તુત છે થોડી સંગીત વિષયક માહિતી...

    મહાત્મા ગાંધીજીએ સંગીત વિશે કહ્યું છે કે : " સંગીતે મને શાંતી આપી છે; વિકલ અવસ્થામાં સંગીતે મારું મસ્તક ઠંડુ કર્યું છે, ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં સહાયતા આપી છે. સાધારણ રીતે જે વાત મગજમાં ન બેસે તે સંગીત દ્વારા હ્રદય સોંસરવી ઉતરે છે." ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરનાં મતે " સંગીત એજ સૌંદર્યનું સાકાર અને સજીવ સ્વરરૂપ છે." યાજ્ઞવલ્કય સ્મૃતિમાં જણાવ્યા પ્રમાણે સંગીત મોક્ષ પ્રાપ્તિનું સાધન મનાયું છે. સંગીત એ ધ્વનિપ્રધાનકલા છે. સંગીતનાં સૌંદર્યનો, માધુર્યનો આધાર સ્વર છે. સ્વરનું મૂળ, નાદ અથવા ધ્વનિ છે. નાદનાં અનાહત અને આહત એમ બે મુખ્ય પ્રકાર છે. અનાહત નાદ યોગવિદ્યા ની સાધના દ્વારા આઘાત વગર ઉત્પન્ન થાય છે. કોઈપણ વસ્તુનાં આઘાતથી કંપનદ્વારા ઉત્પન્ન થતો ધ્વનિને આહતનાદ કહેવામાં આવે છે. જે સાંભળી શકાય છે. તેનાં આંદોલનની સંખ્યા દર સેકન્ડે ૨૪૦ છે. સંગીતમય સ્વર માટે ઓછામાં ઓછી ૪૦ આંદોલનની સંખ્યા જરૂરી મનાઈ છે. ગાયન,વાદન અને નર્તન માટે સંગીતનું જ્ઞાન અનિવાર્ય મનાયું છે. એથી એનો પ્રાથમિક પરીચય સંક્ષિપ્તમાં પ્રસ્તુત છે.

    વ્યાખ્યાઃ સંગીતની વ્યાખ્યાઓ આ પ્રમાણે મળે છે.

    (૧) સંગીત એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સમ્+ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત ઉત્તમ રીતે ગાવું એનું નામ સંગીત. 'સમ્યક પ્રકારેણ ગીયતે ઈતિ સંગીત'.

    (૨) મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાં "ગીતં, વાદ્યં નર્તન ચ ત્રયં સંગીતમુચ્યતે" ગીત, વાજિંત્ર અને નૃત્ય એ ત્રણેય મળીને 'સંગીત' કહેવાય છે. પંડીત દામોદરકૃત સંગીતદર્પણમાં વિશેષમાં કહ્યું છે કેઃ "ગીત વાદિન નૃત્યાંના રકિતઃ સાધારણો ગુણઃ અતો રકિતવિહીનં યત્ન તત સંગીતમ ઉચ્યત" અર્થાત ગીત, વાદ્ય્ અને નૃત્ય ત્રણેયનો સામાન્ય ગુણ મનોરંજન છે. આથી સંગીતમાં રક્તિગુણ અનિવાર્ય છે.

    (૩) ભરતમુનિએ ભરતનાટયશાસ્ત્રમાં "ગાંધર્વ ત્રિવિધં વિધાત સ્વરતાલપદાત્મકમ્ !" અર્થાત્ સ્વરાત્મક, તાલાત્મક તથા પદાત્મક એટલે સંગીત. એ રીતે સંગીતની વ્યાખ્યા આપી છે.

    (૪) શ્રીરામપ્રસાદ પ્ર. બક્ષી સંગીતની વ્યાખ્યા આપતાં જણાવે છે કેઃ " સંગીત એટલે માનવ કંઠમાંથી કે વાદ્યમાંથી ઉત્પન્ન રાસબધ્ધ લયયુક્ત અને તાલબંધ સ્વરલીલા."

    ( વધુ આવતા અંકે )

    Tuesday, September 04, 2007

    ..*.. Happy Janmashtami ..*..


    * जन्माष्टमी के महाऊत्सवो की खुब खुब बघाई ! *
    *
    ..Jan-mash-tami Utsav, is very important day in Pushti Marg. The reason it is important, is very simple. It is the Praghtya (appearance) of Bhagwan Shri Krishna on the always pious land of Bharat Bhumi (India), Braj Bhumi - Gokul in particular.
    Not only for Pusti Marghiya Vaishnava’s, but for all Vedic Religious believers. They all celebrate this day. Shri Krishna is Purna Purshotam Bhagwan and every Vaishanav must celebrate this day with all his love and devotion.
    *
    In order to bless his beloved Bhakts (devotees) Purna Purshotam Bhagwan Shri Krishna took Pra-gha-tiya in the house of Shri Nandrai-ji in Shri Madh Gokul.
    *
    Nand-Maha-Ustav - Jan-mash-tami’s A-nand Maha-ustav. Maha-pra-bhu-ji Shri Vallabh celebrated Jan-mash-tami’s A-nand Maha-ustav.
    *
    First time in Kashi in the house of Seth Shri Purshotam-ji where all Devi-jeevas enjoyed the shak-shat (physically) Darshan of Shri Krishna. On Jan-mash-tami’s a-nand Maha-ustav day Shri Nandai-ji, Shri Yashoda-ji, appeared and gave their Dar-shan and enjoyed the Nand-Maha-Ustav. At the time of going back they asked Acha-riya-charan Shri Vallabh to ask Var-daan (boon), Shri Vallabh said “from now onward you should not appear in person, during Nand-Maha-Ustav day. On the Nand-Maha-Ustav day, the one who is dressed as Shri Nand and Shri Yashodha-ji, you can enter in them as Aa-vesh (influenced form)”. Even today Shri Vallabh-kul Balaks dress themselves as Shri Nandji and Shri Yashoda-ji on this very auspicious day.





    ..जय श्री क्रिष्नl ..

    Tuesday, August 28, 2007

    ..*.. Happy RakshaBandhan ..*..







    ...આ રાખી~સરગમ મારાં ભાઈઓ ને અર્પણ ..!

    પવિત્ર દિન રક્ષાબંધન નો,અતિ ઉમંગ નો આજ..
    વિવિધ રંગી સુંદર રાખડી પ્રેમે બાંધુ મારાં વીરા ને આજ !

    મારાં હ્રદય ની આશ હું લાવી બની બાવરી બહેન..
    મારાં વીરાં હું કંઇ નાં માંગુ, માંગુ હું તારો સાચો સ્નેહ !

    પાસ હો કે દુર દેશે,મારા હ્રદય માં પળ પળ વાર..
    યાદ નિત્ય નિરંતર નયનો માં મન થી કરું હું અનેક વિચાર !

    મુખ નિરખવા મનડું તલસે, કરું શું? સુઝે ના કોઇ ઉપાય..
    મુજને તો કોઇ માર્ગ ના સુઝે કેમ કરી મીઠી નજર પામું?
    અનંત અંતર આડું આવે,પહોંચાશે..? ત્યાં નવ પહોંચાય !

    વિતેલાં મીઠાં દિવસો નાં સ્મરણો કરી યાદ આંખે અશ્રુ ભરું..
    કદી ના ભુલજે તારી બહેની, સ્મરજે તું શુભ દિને આજ !
    સુખે દુઃખે સદા રક્ષજે મારે તારી એક જ આશ ...

    વાંછી દીર્ઘાયુષ્ય આષિશ અંતર નાં અર્પુ મંગલ દિને..
    મારાં વીર તું યુગ યુગ જીવે, ન માંગુ અન્ય આજ ઇશ્વર પાસ !!



    ...હ્રદયનાં ઉંડાણ માં થી કુદરતી પ્રગટ થયેલી કોઇ પણ લાગણી હંમેશા પવિત્ર જ હોય છે..!..પ્રેમ ની કોઇ વ્યાખ્યા નથી. ચાહે લોહી નો સંબંધ હોય કે ધર્મ નાં ભાઈબહેન ..! બન્ને સંબંધ માં રહેલી લાગણી નું સ્તર તો સમાન જ હોય છે..! હ્રદય નો શુદ્ધ ભાવ હોય છે..! નિઃસ્વાર્થ-નિર્લેપ લાગણી ભરી નિખાલસતા હોય છે આ બન્ને પ્રકાર નાં સંબંધો માં..! સુમન માં જેવું સ્થાન સૌરભ નું છે..સરિતા માં જેવું સ્થાન મીઠાં ઝરણાં નું છે..વિદ્યા માં જેવું સ્થાન વિનય નું છે..રાગ માં જેવું સ્થાન મીઠાં શબ્દો નું છે,એવું જ સ્થાન ભાઇ નુ બહેન ના દિલ માં અને બહેન નું ભાઇ નાં દિલ માં હોય છે..! આજ નાં પવિત્ર દિવસે ભાઇ બહેન એક બીજા થી દૂર હોવા છતાં પણ એક બીજા ની યાદ નાં સૂર માં સાન્નિંધ્ય અનુભવે છે..! મોં ભરી ને શબ્દો કે મુઠ્ઠી ભરી રત્નો .. એ હૈયું ભરી મોક્લેલી લાગણી ને ક્યાં પહોંચી શકવાનાં હતાં? બન્ને એકબીજાં ને માટે એ જ શુભેચ્છા કરે છે કે જીવન માં સુખ નું સંગીત રેલાતું રહે..! ખરેખર ભાઇ બહેન નો પ્રેમ અમર છે..!

    Wednesday, August 15, 2007

    ..*.. Jay Hind ..*..

    ..*.. Happy Independence Day ..*..

    Note : Rrefresh the page to view this slide show from beginning with first song.

    આજ નાં શુભ દિવસે દરેક હિંદુસ્તાની નાં કંઠે થી આ જ બધા સૂરો રેલાઈ રહ્યાં હશે..!


    ..*..Vande Mataram ..*..







    powered by ODEO


    ..Jawaharlal Nehru

    (1889-1964)

    first prime minister of free India, the archangel of our secularists, wrote:



    "Vande Mataram is obviously and indisputably the premier national song of India, with a great historical tradition, and intimately connected with our struggle for freedom. That position it is bound to retain and no other song can displace it. It represents the position and poignancy of that struggle."


    Mahatma Gandhi

    too, saw Vande Mataram as the most powerful anti-imperialistic battle cry and had declared that he associated the purest nationalist spirit with it.


    ***


    Ode to Motherland



    Vande Matram - the first expression of Indian Nationhood.


    "I bow to you, my mother"



    Vande maataram Sujalaam suphalaam

    malayaja shiitalaam Sasyashyaamalaam maataram

    Shubhrajyotsnaa pulakitayaaminiim

    Pullakusumita drumadala shobhiniim

    Suhaasiniim sumadhura bhaashhiniim

    Sukhadaam varadaam maataram

    Koti koti kantha kalakalaninaada karaale

    Dwisapta koti bhujaidhrat kharakaravaale

    Abalaa keno maa eto bale Bahubaladhaariniim

    Namaami taariniimRipudalavaariniim Maataram

    Tumi vidyaa tumi dharmaTumi hridi tumi marma

    Tvam hi praanaah shariireBaahute tumi maa shaktiHridaye tumi maa bhakti

    Tomaara i pratimaa gadiMandire mandire

    Tvam hi Durgaa dashapraharanadhaarinii

    Kamalaa kamaladala vihaarinii

    Vaanii vidyaadaayinii namaami tvaam

    Namaami kamalaam amalaam atulaam

    Sujalaam suphalaamMaataram

    Vande Mataram Shyaamalaam saralaam susmitaam bhuushhitaam

    Dharaniim bharaniim Maataram



    ***


    Bankim Chandra Chatterjee

    (1838 - 1894)


    wrote the lyrics of Vande Mataram, or at least the first two stanzas of the song, much before he penned Anandamath, his novel celebrating the sanyasi uprising against the tyrannical rule of Bengal's Muslim subedars. The original version was written sometime in the early 1870s - probably 1875 - and was later expanded into its full version and incorporated in Anandamath in 1881. Much later, when Vande Mataram became the rallying cry of India's freedom movement, after it was set to music by Gurudev Rabindranath Tagore and adopted as the National Song at the Varanasi session of the Congress on September 7, 1905 (it was accorded this status, bringing it at par with the National Anthem, officially by the Constituent Assembly on January 24, 1950)

    ..*..Jana Gana Mana..*..


    Monday, August 06, 2007

    ..*.. Friendship ..*..

    મૈત્રી એક ઝાંકળબિંદુ છે, જે જીવનપુષ્પ ને તેજ ,તાજગી અને સૌંદર્ય અર્પે છે...મૈત્રી એક મનોહર સ્વરાવલી છે જે આત્મા ને અનોખા સંગીત થી હરી લે છે...!.. ચાલો આજે મૈત્રી-સરગમ માં રહેલાં ભાવો ને સાંભળી ને આપણે પણ આ સ્વરાંજલી દ્વારા સાચી મૈત્રી નિભાવવા સ્નેહ નાં સરવાળા,ભૂલ ની બાદબાકી,સહકાર નો ગુણાકાર અને વેરઝેર નો ભાગાકાર કરી મૈત્રીભાવ નું પવિત્ર ઝરણું વહાવીએ..!

    આ બધાં જ ગીતો એ દરેક સહેલીઓ - મિત્રો ને અર્પણ, જેમણે આવી સુંદર પવિત્ર મિત્રતા આપી..! પહેલાં પણ અને અત્યારે પણ ..!.

    આજે એ શૈશવ કાળ નાં દિવસો યાદ આવે છે અને થાય છે..કાશ..! કોઇ લૌટા દે મેરે બીતે હુએ દિન ..!..એ નિર્દોષ મસ્તી મજાક ભરી મધુર દોસ્તી ની મહેંક આજે પણ હ્રદય ને મહેકાવી રહી છે..!

    ....ખરેખર…,
    A friend is a beautiful flower in the garden of life..!




    * Note *

    મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!